એક અભણ....
એક સરસ વાર્તા ગમી તો તમારી સાથે શેર કરુ છું.
આશા છે તમને પણ ગમશે..
જોવો ભગવાન કઈ પણ કરી શકે છે,
બસ એમના પર શ્રધ્ધા હોવી જોઈએ....
એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો....
ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,
ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંિદરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તિનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી....
એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયુ . અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યુ કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે.
જે ભણેલા ના હોય એમને નીકાળી દો.
તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે , આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી.
પેલાએ કીધુ કે મારી ભક્તિજોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવશે નહી,
બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી. ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી.
૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા.
એ લોકો એ ભેગા થઈ જણાવ્યુંકે તમે મંદિરમાં આવો. તો એ ભાઈએ કીધુ કે હુ આવીશ ,
તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે.
માટે હુ આવી શકતો નથી.
તો ત્યાં આવેલા લોકો એ એને કીધુ કે મંદિરની એકજ્ટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ .ત્યા તમારે બેસવાનું ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું પછી કોઈ નહી કહે કે તમારે નોકરીની જરુર છે....
હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માંથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ.
હવે કુદરતની કરામત જુઓ... એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે.
હવે આ વાત જુની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ. હવે મંદિરનો જીણ્ણોધાર કરવાનો હતો. માટે દાનની જરુર હતી. મંદીરનાં ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલિકને પેહલા વાત કરીએ...
માલિક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે.
એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ.
એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ,
ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો.
ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ ,
સહી તો બાકી છે. માલિકે કીધુ કે મને સહી કરતા નથી આવડતુ, લાવો અંગુઠો મારી આપુ
ચાલી જશે ....
તો પેલા ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયા. કહે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. ભણેલા હોત તો ક્યા હોત...
તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ફકત ઘંટ વગાડતો હોત..
માટે ભગવાનની લીલા અપરંપાર છે...
Keep doing what you love.
Don't worry and be happy.
Live life fully !!!!
No comments:
Post a Comment