એક સલ્તનત ના રાજા એ એલાન કીધું કે આવતી કાલે સવારે મહેલ ના દરવાજા જાહેર જનતા માટે ખોલી દેવામાં આવશે.
જે શખ્સ જે વસ્તુ ને હાથ લગાડશે એ વસ્તુ એની થઇ જશે.
બીજે દિવસે વહેલી સવારે લોકો મહેલ પાસે એકઠા થયા.
મહેલ ના દરવાજા ખોલવામાં આવ્યા.
લોકો માં અફરાતફરી મચી ગઇ.
કોઈ સોના ને હાથ લગાડે તો કોઈ ચાંદી ને, કોઈ હાથી ને તો કોઇ દુધણી ગાયને હાથ લગાડે.
બધા પોતાની વસ્તુ મેળવી ને ખુશ થઈ ગયા. રાજા આ બધું જોઈને ખુશ થઈ રહ્યો છે.
એવામાં એક માણસ ધીમી ચાલે ચાલતો ચાલતો રાજા પાસે ગયો, એણે રાજા ને હાથ લગાડ્યો તો રાજા એનો થઈ ગયો અને રાજા ની બધી માલ મિલકત પણ આપોઆપ એની થઈ ગઈ.
આપણું પણ આવું જ છે ,
દુનિયા નો માલિક રોજ સવારે આપણને મોકો આપે છે. પણ અફસોસ આપણે એ માલિક ને મેળવવાને બદલે એની બનાવેલી વસ્તુ મેળવવા પાછળ લાગી જઇયે છીએ.અને એજ ભૂલ કરીયે છીએ .
એમ નહિ કે માલિક ને મેળવી લઈશું તો એની બનાવેલી આખી દુનિયા પણ આપણી જ થઇ જશે.
*****
God bless you. Keep smiling every time.
No comments:
Post a Comment