ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
Time Management, Knowledge, Health, Fun, Success, Goal Setting, Business, Habit, Life
Sunday, August 13, 2017
Cleaver King ... Nice Gujarati story.
ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
Sunday, July 23, 2017
Mahabharat story about Kalyug...
એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ.
એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ.
એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ.
બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ.
કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી.
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે.
1. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે.
2. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે.
3. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે.
4. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."
ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ.
સમજાય તેને વંદન 🙏🌹
God bless you.
Have a great time ahead !!!
Thursday, July 20, 2017
King and his offer. Nice story...
એક સલ્તનત ના રાજા એ એલાન કીધું કે આવતી કાલે સવારે મહેલ ના દરવાજા જાહેર જનતા માટે ખોલી દેવામાં આવશે.
જે શખ્સ જે વસ્તુ ને હાથ લગાડશે એ વસ્તુ એની થઇ જશે.
બીજે દિવસે વહેલી સવારે લોકો મહેલ પાસે એકઠા થયા.
મહેલ ના દરવાજા ખોલવામાં આવ્યા.
લોકો માં અફરાતફરી મચી ગઇ.
કોઈ સોના ને હાથ લગાડે તો કોઈ ચાંદી ને, કોઈ હાથી ને તો કોઇ દુધણી ગાયને હાથ લગાડે.
બધા પોતાની વસ્તુ મેળવી ને ખુશ થઈ ગયા. રાજા આ બધું જોઈને ખુશ થઈ રહ્યો છે.
એવામાં એક માણસ ધીમી ચાલે ચાલતો ચાલતો રાજા પાસે ગયો, એણે રાજા ને હાથ લગાડ્યો તો રાજા એનો થઈ ગયો અને રાજા ની બધી માલ મિલકત પણ આપોઆપ એની થઈ ગઈ.
આપણું પણ આવું જ છે ,
દુનિયા નો માલિક રોજ સવારે આપણને મોકો આપે છે. પણ અફસોસ આપણે એ માલિક ને મેળવવાને બદલે એની બનાવેલી વસ્તુ મેળવવા પાછળ લાગી જઇયે છીએ.અને એજ ભૂલ કરીયે છીએ .
એમ નહિ કે માલિક ને મેળવી લઈશું તો એની બનાવેલી આખી દુનિયા પણ આપણી જ થઇ જશે.
*****
God bless you. Keep smiling every time.
Bank, Locker key.
*એક હોશિયાર ચાટ વાળો*
એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ચાટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.
એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.
મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?
અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા.
એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.
એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે.
તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.
જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.
તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.
આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે.🙏🏻
All the best.🌷
Happy Janmashtmi
નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ ?
શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંતા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધુ સમજાઈ જશે.
નારદજી :~ એવુ તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?
શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે "ગોકુળ-મથુરા-વૃન્દાવન" ના મંદિરોમા "દૂધ-દહી-ઘી-મધ" ને શંખમા ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક કરવામા આવે છે, અને આ દ્રવ્યો ભેગા થઈ છેવટે ગટરમા જાય છે, અને મંદિરમા પણ દુધની ડેરીમા આવતી હોય એવી દુર્ગંધ આવે છે એ બધુ યાદ આવતા, હુ દુ:ખી-દુ:ખી થઈ જાવ છુ.
નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે
શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો... મારો એક દિકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહી ?
નારદજી :~ વાત તો વિચારવા જેવી છે... તો પ્રભુ તમારી શું ઈચ્છા છે ?
શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે વહેચાય છે, તેમ દુધ-દહી-ઘી-મધ માથી એક ચમચી મારી મૂર્તી પર ચડાવી બાકીનુ દ્રવ્ય મારા અશકત દિકરાઓમા પ્રસાદી તરીકે વહેચાય એ વધુ ઈચ્છનીય છે.
અને બીજુ હુ મારા ભક્તોને એ કહેવા માંગુ છુ.... કે મને દુધ-દહી-માખણ-ઘી વધારે ભાવે છે તો મને એ ખવડાવવાના બદલે એનાથી નવડાવવાનો ? ? તમે કોઈ દિવસ આ દ્રવ્યોથી ન્હાવ છો ખરા ? ? કે તમારા બાળકોને ક્યારેય એનાથી નવડાવ્યા છે ? ?
નારદજી :~ પરંતુ પ્રભુ ! આ વાત ભક્તો સુધી પહોચાડવી કઈ રીતે ?
શ્રી કૃષ્ણ :~ અરે ! એટલે જ તો આપને યાદ કર્યા છે મુનિવર, સમાચાર ફેલાવવાનું કામ તમારાથી સારી રીતે કોણ કરી શકે ?
નારદજી :~ પ્રભુ ! હુ એકલો કેટલી જગ્યાએ પહોચું ? પણ મારી પાસે એક સરસ ઉપાય છે.
શ્રી કૃષ્ણ :~ તો વાર ના લગાડો, મુનિવર.... બોલો ફટાફટ
નારદજી :~ પૃથ્વીલોકમા "માર્ક ઝુકરબર્ગ" ની બે એપ્લીકેશન એટલે કે ફેસબુક અને વોટ્સ-અપ ગ્રુપના માધ્યમથી ભારતના જાગૃત યુવાનો આ સંદેશ ફેલાવી શકે અને બીનજરૂરી બગાડ અટકાવી શકે.
શ્રી કૃષ્ણ :~ ખુબ જ સરસ વિચાર છે.
નારદજી : ~ સારુ તો મને રજા આપો... નારાયણ ! નારાયણ !
* ॰ * ॰ * ॰ * ॰ * ॰ * ॰
Friday, July 14, 2017
Gujarati stories...
*Please Read*
બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા.
ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી.
એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો.
એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા...
20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.
20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા.
40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા.
એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.
60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા
અને
80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો.
મોટાભાઇએ
નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.”
નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”...
*જીવનમાં પણ કંઇક આવું જ બને છે*
*પ્રથમ 20*
વર્ષ સુધી આપણે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ.
*20 વર્ષ બાદ*
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી.
*40 વર્ષ પછી*
સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય.
આમ કરતાં કરતાં
*60 વર્ષ પુરા*
થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી.
જ્યારે
*80 વર્ષે*
પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી.
બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ.
માટે
*યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે.*
*80 વર્ષે જે જોઇતું હોય એ મેળવવાની શરુઆત 20મા વર્ષથી જ કરી દેવી જોઈએ.*
So start your investment at your younger age.. 🙏🏻🙏🏻
Sunday, July 9, 2017
God bless you dear !
ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંક ની શાખા છે, દુનિયા ની લગભગ બધી મુખ્ય બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના લાખો કરોડો ડોલર ની લેવડદેવડ થાય છે. આવી આ વિશાળ બેંક માં ૬ કેશ કાઉન્ટર છે.
૪૬ વર્ષીય જહોન પિટર નામના બેંક ના કર્મચારી આમાં થી એક કાઉન્ટર સંભાળે છે. હવે સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી ૪ લોકો ની લાઈન લાગે પણ જહોનભાઈ નાં કાઉન્ટર પર ૧૦ થી ૧ર જણાં લાઈનમાં ઉભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે ૬ કાઉન્ટર માં થી ૫ કાઉન્ટર પર કોઈ કહેતાં કોઈ ન હોય અને જહોનભાઈ ને ત્યાં ૫ જણાં લાઈન લગાવી ને વાટ જોતાં હોય.
બેંક ના મેનેજર નું ધ્યાન જતાં તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું તો પણ લોકો તો જહોન પાસેથી જ પૈસા મેળવવા નો આગ્રહ રાખતાં.
આનું રહસ્ય સમજવાં મેનેજર સાહેબે આ પાંચ સાત ખાતેદારો ની જુદા જુદા સમયે પૂછપરછ કરી. જાણી ને સાહેબ તો અચંબિત થઈ ગયાં. આવો આપણે પણ આ ખાતેદારો ની વાત ક્રમસર જાણીએ.
પહેલાં ખાતેદારે કહ્યું જહોન પાસેથી લીધેલા પૈસા માં બરકત સારી આવે છે.
બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપની નાં એકાઉન્ટન્ટ કહે કે મને કુદરતીરીતે જ જહોન પાસેથી પૈસા લેવાનું ગમે છે.
ત્રીજા ખાતેદાર સરકારી કામો નાં કોન્ટ્રાકટર હતાં. હું જહોન પાસેથી પૈસા લઉ તો અઘરાં કામો પણ સરળતા થી અને સમયસર પૂર્ણ થાય છે.
મિ. એલન સ્મિથ જે ચોથા ખાતેદાર છે બિઝનેસમેન છે. મારે ઘણાં શહેરો માં ટ્રાવેલ કરવું પડે છે. એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરી માં બબ્બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે.
પાંચમા ખાતેદારે તો જહોન ને પોતાનાં જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું વેશ્યાઓ પાછળ અને દારુ પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ જહોન પિટર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું, આમ મારું જીવન પરિવર્તન થયું. એ રાતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કહી રહ્યા હોય કે આ વિચાર માટે જહોનભાઈ ની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું જહોનભાઈ થી જ લઉં છું.
જીમી નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેનાં પતિ રોબર્ટ વર્થ નું જોઈંટ એકાઉન્ટ આ બેંક માં છે. એક વાર પોતાની સાથે કામ કરતાં યુવાન ના પ્રેમ માં અંધ બની ને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે જહોન પીટર પાસે ચેક ક્લિયરીંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા, તરત જ મને મારી ભૂલ નો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા પરત સ્લીપ ભરી બેંક માં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા જહોન પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું.
બે દિવસ પછી મેનેજર સાહેબે જહોન અને તેમની વાઈફ ને પોતાને ત્યાં ડિનર પર નિમંત્રણ આપ્યું. તેઓ એ ખુબ જ ઉત્સાહ થી પોતાનાં આ સામાન્ય ક્લાર્ક નાં અદભુત કહી શકાય એવાં પરિણામો દંપતિ ને જણાવ્યાં. પોતાનાં બાળકો સાથે જહોન નાં આર્શિવાદ માંગ્યા. ત્યારે આ સરળ એવાં જહોન ભાઈ એ કહ્યું *સાહેબ હું કોઈ સાધુ નથી, સંત નથી પણ સંસ્કારી માતા પિતા નું સંતાન છું. નાનપણ થી જ મારી મા મને કહેતી કે આપણા સંપર્ક માં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું.*
મારી માતાની સોનેરી સલાહ ને મેં જીવન માં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું મનમાં જ સાચા દિલથી,
*“MAY GOD BLESS YOU”*
*“પ્રભુ તમને આર્શિવાદ આપે, તમારું ભલું કરે”*
આ પ્રાર્થના ત્રણ વાર કરું છું. ટોકન આપે ત્યારે, હું પૈસા ગણું ત્યારે અને એમનાં હાથમાં પૈસા આપું ત્યારે. તમારે મંત્રજાપ માનવો હોય તો મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે.
Ashish Barot's Blog I am Happy & Healthy
Crying and Trying .... What is difference?
We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...